મંદી, મોંઘવારી, મહામારીમાં નાગરિકો પાસેથી કોરોનાની સારવાર માટે : 28-05-2021

મંદી, મોંઘવારી, મહામારીમાં નાગરિકો પાસેથી કોરોનાની સારવાર માટે જીવન બચાવવા માટે જરૂરી ઈન્જેક્સન, ઓક્સિજન, વેન્ટીલેટર સહિત પર વસૂલાતા ઉંચા જી.એસ.ટી. દરથી દેશના અને રાજ્યના નાગરિકોની હાલત અતિ વિકટ બની રહી છે ત્યારે વેક્સિન, રેમડેસીવીર અને ઓક્સીજન કંસન્ટ્રેટર્સ સહિતની માનવજીંદગી માટેની જરૂરીયાત પરના જી.એસ.ટી.માં માફી – રાહતની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, વેક્સિન, રેમડેસીવીર અને ઓક્સિજન કંસન્ટ્રેટર્સ માત્ર ત્રણ પર જી.એસ.ટી. વસૂલાતની ગણત્રી કરીએ તો ૬૦૦૦ કરોડ રૂપિયા જેટલી માતબર રકમ કોરોના મહામારીમાં વસુલવામાં આવી રહી છે. જી.એસ.ટી. ના ઉંચા દરથી વસુલાતા ૬૦૦૦ કરોડની બચતથી ૧૨ લાખ ઓક્સિજન કંસન્ટ્રેટર્સ ખરીદી શકાય, ૧ લાખ ૨૦ હજાર નવા વેન્ટીલેટર હોસ્પીટલમાં સ્થાપિત કરી શકાય. આ ૬૦૦૦ કરોડ રૂપિયામાંથી ૨૦ કરોડ નાગરિકોને વેક્સિન આપી શકાય.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note