ખેડૂતોને ટેક્સના દાયરામાંથી સંપૂર્ણ મુક્તિ : 04-01-2019
- ખેડૂતોને ટેક્સના દાયરામાંથી સંપૂર્ણ મુક્તિ આપી જીવાડવા કોંગ્રેસની માંગ
- ગુજરાતમાં ખેડૂતોના દેવા માફ નહીં કરતી ભાજપ સરકારે કૃષિલક્ષી વસ્તુઓમાં જીએસટી સંપૂર્ણપણે રદ કરવો જોઈએ: ડૉ. હિમાંશુ પટેલ
ગુજરાત રાજ્યમાં દેવાનાં બોજ હેઠળ દબાયેલાં તમામ કિસાનો અને પશુપાલકોને ખેતીવાડી તેમજ કૃષિલક્ષી દરેક વસ્તુઓમાં જીએસટીમાંથી સંપૂર્ણ મુક્તિ આપી જીવતદાન આપવા કોંગ્રેસનાં મહામંત્રી ડૉ. હિમાંશુ પટેલે માંગણી કરી છે. ગુજરાતનાં ધરતીપુત્રોને દેવા માફી નહીં આપી આર્થિક બેહાલીમાં ધકેલનાર ભાજપ સરકારને રાજ્યનાં અછતગ્રસ્ત તાલુકાઓમાં પાક વીમો તાત્કાલીક ચુકવવા ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો