મહાત્મા ગાંધી રોજગાર ગેરેંટી કાયદા(મનરેગા) હેઠળ દેશના શ્રમિકો પરીવારોને ૧૦૦ દિવસ રોજગારી : 09-12-2018
મહાત્મા ગાંધી રોજગાર ગેરેંટી કાયદા(મનરેગા) હેઠળ દેશના શ્રમિકો પરીવારોને ૧૦૦ દિવસ રોજગારી આપવાનો ઐતિહાસિક કાયદો કેન્દ્રની યુપીએ સરકારમાં વડાપ્રધાન ડો. મનમોહન સિંઘ અને યુપીએ ચેરપર્સન શ્રીમતી સોનીયા ગાંધીના નેતૃત્વમાં અમલમાં મુકવાથી આજે ૧૨ વર્ષ બાદ મનરેગાને લીધે ગ્રામીણ અર્થતંત્ર, સામાજીક બદલાવ, ગ્રામ્ય વિકાસમાં ભારતે મોટાપાયે પ્રગતિ કરી છે. દેશમાં મનરેગા કાયદા હેઠળ શ્રમિકોને દૈનિક મજૂરી દર ચૂકવવામાં ગુજરાત રૂ.૧૯૪ સાથે દેશમાં ૧૬માં નંબરનું રાજય છે. ત્યારે અછતગ્રસ્ત વિસ્તારોમાં ૧૦૦ દિવસને બદલે ૧૫૦ દિવસની રોજગારી આપવાની જાહેરાત કરનાર ભાજપ સરકારે માત્રને માત્ર કાગળ પર જાહેરાત કરીને ગુજરાતમાં કુદરતી આફતનો સામનો કરી રહેલા લાખો અછતગ્રસ્ત પરીવારો સાથે છેતરપીંડી કરી હોવાનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવકત્તા ડો. મનીષ દોશી
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો