૨૪ કરોડ ઈન્સ્યોરન્સ ધારકો પર જીએસટી થોપતી ભાજપ સરકાર : 18-11-2017

  • એક તરફ બેફામ મોંઘવારી, બીજી તરફ વ્યાજદર ઘટાડાથી સામાન્ય-મધ્યમ વર્ગ માંથી જીવન ચલાવવું મુશ્કેલ બની ગયું.
  • ૨૪ કરોડ ઈન્સ્યોરન્સ ધારકો પર જીએસટી થોપતી ભાજપ સરકાર
  • લાઈફ ઈન્સ્યોરન્સ અને હેલ્થ પોલીસી પર ટેક્ષ વધારો. જ્યારે ઈન્સ્યોરન્સ તેમજ સેવીંગ સ્કીમ દ્વારા મળનાર લાભ વ્યાજદરોમાં ઘટાડો.
  • પ્રજાને ‘અચ્છે દિન’ નો વાયદો કરનાર મોદી શાસનમાં સામાન્ય-મધ્યમ વર્ગના કરોડો નાગરિકોની પરસેવાની કમાણી “ટેક્ષ ટેરીરીઝમ” થી લૂંટાણી.

લાઈફ ઈન્સ્યોરન્સ અને હેલ્થ પોલીસી પર ટેક્ષ વધારો, જ્યારે ઈન્સ્યોરન્સ તેમજ સેવીંગ સ્કીમ દ્વારા મળનાર લાભ વ્યાજદરોમાં ઘટાડાના લીધે લાખો બચત ધારકો અને ખાસ કરીને સીનીયર સીટીઝનો કે જેઓ પોતાના પરિવારનું ભરણપોષણ ડીપોઝીટની વ્યાજની આવક પર ચલાવતા હોય છે તેવા સંજોગોમાં જીવન જરૂરી ચીજવસ્તુમાં બેફામ મોંઘવારીના મારથી લાખો પરિવારો પોતે કઈ રીતે જીવનનિર્વાહ કરશે તેવો પ્રશ્ન ભાજપ સરકારને પૂછતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશી

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note