કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી રાહુલ ગાંધી “નવસર્જન ગુજરાત જનાદેશ સંમેલન” માં હાજરી તેમજ… : 22-10-2017

નવસર્જન ગુજરાત’ ની સાથે ‘ખુશ રહે ગુજરાત’ ના પ્રણેતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, છેલ્લા ૨૨ વર્ષથી ભાજપના કુશાસનથી પીડાતી ગુજરાતની પ્રજાને કોંગ્રેસ પાસે સુરાજ્યની અપેક્ષા છે. આવા સંજોગોમાં ભાજપ સરકારની પ્રજાવિરોધી નિતીઓથી હેરાન-પરેશાન નાગરિકોની લાગણીને વાચા આપવા હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણીને લોક આંદોલનો શરૂ કર્યા હતા. પ્રજાને આ નેતાઓ પાસે પણ અપેક્ષાઓ હોવાથી ભાજપના કુશાસનને ગુજરાતમાંથી નાબૂદ કરવા, આ ત્રણે નેતાઓને સાથે રાખીને અને સમાન વિચારધારાવાળી રાજકીય પાર્ટીને પણ ગુજરાતનું નવસર્જન કરવા માટે આગળ વધવાનો નિર્ણય કોંગ્રેસ પક્ષે કર્યો છે. ‘પાસ’ ના કન્વીનરો અને હાર્દિક પટેલની આગેવાની એક આંદોલન ચલાવી રહ્યાં છે. તેઓએ પોતાના સમાજની માંગણી અને લાગણી સાથે કોંગ્રેસ પક્ષને આવેદન પત્ર આપ્યું છે.  જેઓની માંગણી-લાગણીને કોંગ્રેસ પક્ષ અનુમોદન આપ્યું છે. સાથો સાથ હાર્દિક પટેલ અને ‘પાસ’ ના કન્વીનરો કોંગ્રેસ પક્ષને સમર્થન આપે, આશીર્વાદ આપે, સહયોગ આપે

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note