NEET – રાજ્યના તમામ કલેક્ટરશ્રીને આવેદનપત્ર : 18-08-2017
- કોંગ્રેસ પક્ષ ૧૮મી ઓગષ્ટના રોજ રાજ્યના ૩૩ જિલ્લા અને ૮ મહાનગરોમાં ‘નીટ’ ના મુદ્દે ગુજરાતી માધ્યમના ૪૭,૫૮૩ વિદ્યાર્થીઓને ન્યાય મળે તે માટે તમામ કલેક્ટરશ્રીઓને આવેદનપત્ર અપાયા.
- રાજ્ય સરકાર મૂક પ્રેક્ષક બનીને ગુજરાતના મેરીટ ધરાવતાં હજારો વિદ્યાર્થીઓની કારકિર્દી સાથે ચેડાં કરી રહી છે.
NEET ના પ્રશ્નપત્ર અલગ હોવાથી ગુજરાતી માધ્યમના ૪૭,૫૮૩ વિદ્યાર્થીઓના ડોક્ટર બનવાના સ્વપ્ન પર પાણી ફરી રહ્યું છે. ત્યારે રાજ્ય સરકાર મૂક પ્રેક્ષક બનીને ગુજરાતના મેરીટ ધરાવતાં હજારો વિદ્યાર્થીઓની કારકિર્દી સાથે ચેડાં કરી રહી છે વારંવારની રજૂઆત છતાં રાજ્ય સરકાર નિર્ણય ન કરતી હોવાથી અસરકર્તા વિદ્યાર્થી-વાલીઓ મોટી સંખ્યામાં સરદાર બાગ ખાતે બપોરે ૧૨-૦૦ કલાકથી સાંજના ૫-૦૦ કલાક સુધી ધરણાં, પ્રર્દશન કરીને ન્યાય માટે માંગણી કરી હતી.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો