કોંગ્રેસ મુક્ત ભારત નહી પરંતુ ભારતને આતંકમુક્ત બનાવો: એહમદ પટેલ

કોંગ્રેસ મુક્ત ભારત બનાવવાની વાતો નરેન્દ્ર મોદી તેમજ ભાજપ કરે છે પરંતુ કાશ્મીર તેમજ છત્તીસગઢમાં થતા વારંવાર હુમલાઓ એ દર્શાવે છે કે ભારતને કોંગ્રેસ મુક્ત નહી પરંતુ આતંક મુક્ત બનાવવાની જરૃર છે તેમ આજે કોંગ્રેસના સીનીયર નેતા એહમદ પટેલે જણાવ્યુ હતું.

દેડિયાપાડા ખાતે આદિવાસીઓની જનસભાને સંબોધતા તેમણે કહ્યુ હતુ કે મારા રાજકિય જીવનમાં આટલી મોટી જનસંખ્યા ક્યારે જોઇ નથી આજનો દિવસ ગુજરાતનો સ્થાપના દિવસ, વિશ્વ શ્રમિક દિન અને સાથે સાથે ઇન્દિરાજીની જન્મશતાબ્દિનું વર્ષ પણ છે. આજનો આ દિવસ સંકલ્પ માટેનો છે ભાજપની સરકાર ૨૦ વર્ષની છે અને વિકાસ તેમજ પ્રગતિની વાતો કરે છે પરંતુ ગુજરાતમાં તમામ વર્ગ દુઃખી છે આવતીકાલે સૂર્ય પુર્વમાંથી નીકળવાનો છે તે જેટલુ નિશ્ચિત છે તેટલુંજ ૨૦૧૭ની ચૂંટણીમાં ભાજપનો પરાજય નિશ્ચિત છે અને તેનું શ્રેય આદિવાસીઓને જશે.

http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/baroda/congress-is-not-free-india-but-india-is-made-free-from-terrorism