ડેડીયાપાડા ખાતે નવસર્જન આદિવાસી અધિકાર જનસભા : 01-05-2017

ગુજરાત રાજ્યના ૫૭માં સ્થાપના દિવસ તેમજ વિશ્વ કામદાર દિવસ નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ડેડીયાપાડા ખાતે નવસર્જન આદિવાસી અધિકાર જનસભામાં ૧ લાખ કરતાં વધુ જંગી જનમેદની ઉમટી પડી હતી. આદિવાસી સમૂદાયના દેવમોગરા સ્થિત કૂળદેવી પાંડુરી માતાના દર્શન કરીને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષશ્રી રાહુલ ગાંધીનું જનસભામાં આગમન થયું હતું. આ દરમ્યાન છત્તીસગઢમાં શહીદ થયેલા જવાનોને મૌન પાળી શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી. ડેડીયાપાડા સ્થિત યોજાયેલ નવસર્જન આદિવાસી અધિકાર જનસભાને ૧૦૦ મી ઈન્દીરાજીની જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે સમર્પિત કરવામાં આવી હતી. આ દરમ્યાન મંચ પર પરંપરાગત નૃત્યગાન સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note