અકસ્માતે મૃત્યુ પામનાર ખેડૂતને રૂા. ૧ લાખને બદલે રૂા. ૪ લાખ નું વળતર આપવાની યોજના ફક્ત કાગળ ઉપર : 19-01-2017
- ભાજપ શાસનમાં નવેમ્બર-૨૦૧૫ પછી અકસ્માતે મૃત્યુ પામનાર ખેડૂતને રૂા. ૧ લાખને બદલે રૂા. ૪ લાખ નું વળતર આપવાની યોજના ફક્ત કાગળ ઉપર
- વાયબ્રન્ટ ગુજરાત માટે એરોડ્રામ શણગારવાનું ખર્ચ રૂા. ૫૦ કરોડ.
- નવેમ્બર-૨૦૧૫ પછી અકસ્માતે મૃત્યુ પામનાર ખેડતને રૂા. ૧ લાખને બદલે રૂા. ૪ લાખ નું વળતર આપો નહીં તો આંદોલન માટે તૈયાર રહો.
વાયબ્રન્ટ ગુજરાતના નામે ઉદ્યોગોને લાલ ઝાઝમ બીછાવી અનેક રાહતો આપી સસ્તી જમીનો તથા કર માફી આપી તગડા બનાવાય છે. જ્યારે સંઘર્ષકર્તા ખેડૂતોને, જોખમ ઉપાડતા જગતના તાતને અકસ્માતે મૃત્યુ થાય તો રૂા. ૧ લાખને બદલે રૂા. ૪ લાખ નું વળતર આપવાની જાહેરાત પૂર્વ મુખ્યમંત્રીએ (શ્રીમતિ આનંદીબેન પટેલ) નવેમ્બર – ૨૦૧૫ માં કરી હતી પરંતુ ખેડૂત વિરોધી ભાજપ સરકારની માનસિક્તાના કારણે ગુજરાતમાં ખેડૂતોની હાલાકીમાં સતત વધારો થઈ રહ્યો છે અને બધી જાહેરાતોની જેમ આ જાહેરાત પણ કાગળ ઉપર જ છે, ત્યારે ખેડૂતોને તાત્કાલિક અસરથી અકસ્માતે મૃત્યુ પામનાર ખેડૂતોને રૂા. ૧ લાખ ને બદલે રૂા. ૪ લાખ નું વળતર આપવાની માંગ કરતાં કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય ડૉ. તેજશ્રીબેન પટેલ
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો