કોંગ્રેસ પાંચમીએ કલેક્ટરોને ઘેરાવ કરશે નવમીએ મહિલાઓ મોદીનું રાજીનામું માગશે

વડાપ્રધાને દેશવાસીઓને અચ્છે દિનનું ગાજર લટકાવ્યું હતું પરંતુ નોટબંધીનો અણઘડ અને આર્થિક અરાજકતાભર્યા નિર્ણયથી આજે નાના વેપારીઓના ધંધા-રોજગાર ઠપ થઈ ગયા છે, શ્રમિકો માટે જીવન દુષ્કર બની ગયું છે.

– ગુજરાત કોંગ્રેસે કેન્દ્રની ભાજપ સરકાર અને વડાપ્રધાનની નોટબંધી અને કથિત લાંચ લેવાના મુદ્દે આગામી પાંચમી જાન્યુઆરીએ તમામ જિલ્લા કલેક્ટરોને ઘેરાવ-આવેદન સુપરત કરવા જ્યારે ૯મી જાન્યુઆરીએ મહિલાઓ થાળી-વેલણ વગાડીને વિરોધ પ્રદર્શન કરવા અને ૧૦મીએ ‘ભ્રષ્ટ મોદી રાજીનામું આપે’ની ચળવળ હાથ ધરવાનું એલાન કર્યું છે. ૧૧મીએ નવી દિલ્હીમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી જનસંમેલનને સંબોધશે.

અમદાવાદની મુલાકાતે આવેલાં કોંગ્રેસ પ્રભારી ગુરુદાસ કામતે પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, વિપક્ષી નેતા શંકરસિંહ વાઘેલા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં આંદોલનાત્મક કાર્યક્રમોની જાહેરાત કરતા તેમણે કહ્યું કે, ભ્રષ્ટાચાર મુક્ત ભારતના નિર્માણનો નારો આપનારા

http://epaper.navgujaratsamay.com/details/15150-26606-1.html