સ્વ.સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ અને સ્વ.ઈન્દીરાજીની પૂણ્યતિથિ તથા નુતનવર્ષના ત્રિવેણી પવિત્ર દિવસે શ્રધ્ધા સુમન

  • અખંડ ભારતના ઘડવૈયા અને લોખંડી પુરૂષ સ્વ.શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૧મી જન્મજયંતિ અને દેશને એકતા અને અખંડિતતા ખાતર પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર પ્રિયદર્શીની સ્વ.ઈન્દીરાજીની ૩૨મી પૂણ્યતિથિ તથા નુતનવર્ષના ત્રિવેણી પવિત્ર દિવસે રાજીવ ગાંધી ભવન ખાતે શ્રધ્ધા સુમન કાર્યક્રમ યોજાયો
  • જો આજે સરદાર સાહેબ હયાત હોત તો દેશમાં ભાગલાવાદી પરિબળોએ માથું ના ઉંચકયું હોત : ભરતસિંહ સોલંકી
  • દેશની જનતા ભાજપની બે મોઢાની વાતોને સારી રીતે ઓળખી ગઈ : ભરતસિંહ સોલંકી

અખંડ ભારતના ઘડવૈયા અને લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૧ મી જન્મજયંતિ અને દેશને દેશને એકતા અને અખંડિતતા ખાતર પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર પ્રિયદર્શીની સ્વ.ઈન્દીરાજીની ૩૨મી પૂણ્યતિથિ નિમિત્તે રાજીવ ગાંધી ભવન ખાતે ઉપસ્થિત મોટી સંખ્યામાં કાર્યકરો-આગેવાનોને કાર્યક્રમ અંતર્ગત સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, દેશ જયારે જુદા જુદા રજવાડાઓ, અલગ-અલગ ભાષાઓ અને ભાષા આધારિત પ્રાંતોમાં વહેંચાયેલો આ દેશ અને અસંખ્ય રજવાડાઓને સરદાર સાહેબે વિવિધ એક કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું. દેશમાં જયારે અંગ્રેજોની “ભાગલા પાડો અને રાજ કરો” ની નીતિ અખત્યાર કરી રહ્યા હતા ત્યારે દેશમાં સાંપ્રદાયિક વાતાવરણ ઉભું કરતાં આર.એસ.એસ. પર પ્રતિબંધ મૂકી દેશને મજબૂતી આપી હતી.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

 

Press Note