PMને ન શોભે તેવા ગપ્પાં નરેન્દ્ર મોદીએ ભાષણમાં માર્યાં હતાં: શંકરસિંહ વાઘેલા
પ્રજાને ભ્રમિત કરવી અને નૈતિક મૂલ્યોને સાવ નેવે મૂકી પૈસા અને પ્રચારના જોરે મતદારોને લોભાવનાર ભાજપ માટે બિહારના પરિણામ આંખો ઉઘાડનારા છે તેમ શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન મોદીએ અગાઉ ગુજરાતમાં સદભાવનાના નામે બિહારની જેમ પેકેજ જાહેર કરીને ગુજરાતીઓને ગુમરાહ કર્યા હતા. ભાજપની તિજોરીમાંથી જાણે રૂપિયા આવતા હોય તેમ બિહારમાં પણ મોટા જાહેર કર્યા પણ ત્યાંની જનતા છેતરાઇ નહીં. જે રીતે પરિણામ આવ્યા છે તેમાંથી ગુજરાતની જનતા ચોક્કસ બોધપાઠ લે છે અને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને જાકારો આપશે તેવો વિશ્વાસ વાઘેલાએ વ્યકત કર્યો હતો. દરમિયાનમાં કોંગ્રેસના મહામંત્રી નિશિત વ્યાસે જણાવ્યું હતું કે બિહારના પરિણામો ભાજપ-એનડીએ માટે દિવાળી પહેલાની સાફ સફાઇ છે, સાચી દિવાળી દેવદિવાળીએ ગુજરાતની જનતા કોંગ્રેસને મત આપીને ઊજવશે.
http://www.divyabhaskar.co.in/news-ht/MGUJ-GAN-OMC-congress-leader-and-obc-leader-alpesh-thakor-opinion-on-bjp-loss-in-bihar-electi-516409.html