જગન્નાથ મંદિર ની મુલાકાત લેતા ગુજરાત કોંગ્રેસના આગેવાનો

અમદાવાદ શહેર ખાતે આવેલ ગુજરાતના સુપ્રસિધ્ધ જગન્નાથ મંદિરની ૧૩૮મી રથયાત્રા મહોત્સવ નિમિત્તે આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા, પૂર્વ પ્રમુખશ્રી અર્જુન મોઢવાડિયા, શ્રી સિધ્ધાર્થ પટેલ તથા વરિષ્ઠ આગેવાનો એ મંદિરની મુલાકાત લઇ શુભેચ્છાઓ પાઠવી હતી. અને ત્યાર બાદ રથની પૂજાની વિધિ આગેવાનોશ્રીઓ દ્વારા કરવામાં આવી હતાં.