સ્વ.શ્રીમતી ઈન્દીરાજીની પુણ્યતિથિ તેમજ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે વંદન સહ શ્રદ્ધાસુમન

અખંડ ભારતના ઘડવૈયા અને લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૧ મી જન્મજયંતિ અને દેશને દેશને એકતા અને અખંડિતતા ખાતર પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર પ્રિયદર્શીની સ્વ.ઈન્દીરાજીની ૩૨મી પૂણ્યતિથિ નિમિત્તે રાજીવ ગાંધી ભવન ખાતે ઉપસ્થિત મોટી સંખ્યામાં કાર્યકરો-આગેવાનોને કાર્યક્રમ અંતર્ગત સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, દેશ જયારે જુદા જુદા રજવાડાઓ, અલગ-અલગ ભાષાઓ અને ભાષા આધારિત પ્રાંતોમાં વહેંચાયેલો આ દેશ અને અસંખ્ય રજવાડાઓને સરદાર સાહેબે વિવિધ એક કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું. દેશમાં જયારે અંગ્રેજોની ભાગલા પાડો અને રાજ કરો ની નીતિ અખત્યાર કરી રહ્યા હતા ત્યારે દેશમાં સાંપ્રદાયિક વાતાવરણ ઉભું કરતાં આર.એસ.એસ. પર પ્રતિબંધ મૂકી દેશને મજબૂતી આપી હતી. જેને કારણે આજે ભારત પ્રગતિશીલ દેશ તરીકે વિશ્વમાં આગવું સ્થાન ધરાવે છે. દેશની પ્રગતિનાં પાયામાં કોંગ્રેસના પૂજ્ય મહાત્મા ગાંધી, પંડિત જવાહરલાલ નહેરૂ, સરદાર વલ્લભભાઈ પટેલ, ડૉ.બાબાસાહેબ આંબેડકર, દાદાભાઈ નવરોજી સહિતના અસંખ્ય નામી-અનામી મહાનુભાવોનું આગવું યોગદાન રહ્યું છે.