વિચાર-વિમર્શ બેઠક – પ્રથમ દિવસ : 28-09-2015
રાજ્યમાં જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકા, નગરપાલિકાની ચુંટણીમાં કોંગ્રેસ પક્ષ અસરકારક અને પ્રભાવશાળી દેખાવ કરે તે માટે ચુંટણીલક્ષી આયોજન અને સંગઠનમાં સંપૂર્ણપણે વધુમાં વધુ લોકોને જોડી શકાય, સંગઠન જનમાધ્યમ બને તેવા વિવિધ મુદ્દાઓને ધ્યાનમાં લઈ કોંગ્રેસ પક્ષની ચાર દિવસીય વિચાર-વ્માંર્ષ બેઠકના પ્રથમ દિવસે સુરેન્દ્રનગર, ખેડા, મોરબી, જામનગર, જુનાગઢ, દેવભૂમિ-દ્વારકા, કચ્છ, ગીર-સોમનાથ, પોરબંદર, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ અને મહિસાગર જીલ્લાઓમાંથી ૪૫-૪૫ મિનીટના અંતરે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય મહામંત્રી અને ગુજરાતના પ્રભારીશ્રી ગુરુદાસ કામતજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા, સહપ્રભારીશ્રી સજ્જનસિંહ વર્માની ઉપસ્થિતિમાં રાજીવ ગાંધી ભવન ખાતે બેઠક મળી હતી.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો