રાજ્ય માં શિક્ષણની ગુણવત્તા સુધારવા, માળખાકીય સવલતો વધારવા કે પૂરતા શિક્ષકો નીમવા : 07-04-2022
- ‘‘જે લોકોને રાજ્યનું શિક્ષણ સારું ના લાગતું હોય તે બીજા દેશ કે રાજ્યમાં જાય” શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીનું આ નિવેદન અહંકારથી ભરેલું અને લાખો વાલીઓ, બાળકો અને યુવાનોના અપમાન સમાન, ભાજપ મંત્રીશ્રીનું રાજીનામું લે અને માફી માંગે.- અર્જુન મોઢવાડીયા
- રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ૧૯,૦૦૦ ઓરડા, ૨૮ હજાર શિક્ષકોની ઘટ, માધ્યમિક શાળાઓ-કોલેજોમાં શિક્ષકોની જગ્યા ખાલી, લાયબ્રેરીયન, પી.ટી.આઈ., વહીવટી સ્ટાફની ભરતી બંધ
- જગ્યાઓ ભરવાને બદલે પ્રવાસી શિક્ષકોની પ્રથાએ વિદ્યાર્થીઓને પણ પ્રવાસી બનાવી દીધા.
- દેશની પ્રથમ ૧૦૦ યુનિવર્સિટીઓમાં એકપણ ગુજરાતની નહીં, કુલપતિઓ તરીકે ઉત્તમ અધ્યાપકોની નિમણુંક કરવાને બદલે આરએસએસ બેકગ્રાઉન્ડવાળા, લાયકાત વગરના ભ્રષ્ટ લોકોની નિમણુંક
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો