રાજ્યપાલશ્રીએ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું રાજીનામું લઇ ન્યાયિક તપાસ કરાવવી જોઈએ : 30-06-2016
- ગુજરાતમાં વ્યાપક ભરતી કૌભાંડ દ્વારા ભાજપ ધન પાયો યોજના ચાલે છે
- રાજ્યપાલશ્રીએ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું રાજીનામું લઇ ન્યાયિક તપાસ કરાવવી જોઈએ – ડૉ. હિમાંશુ પટેલ
ગુજરાત રાજ્યમાં નરેન્દ્ર મોદીએ સત્તા સંભાળી ત્યારથી કરોડો રૂપિયાનાં કૌભાંડો આચરનાર ભાજપ સરકારની સીધી દોરવણીથી જ તલાટી કાંડ સહિત તમામ ભરતીઓમાં વ્યાપમ કરતાં પણ વધારે વ્યાપક કૌભાંડો થયા હોવાનું જણાવતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે તલાટી કાંડમાં કરોડો રૂપિયાનાં ભ્રષ્ટાચારનાં આરોપોથી ખરડાયેલાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનાં રાજીનામા સાથે સમગ્ર પ્રકરણની ન્યાયીક તપાસ કરાવવા માંગણી કરી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો