મોદીને મનની વાત કરવી સારી લાગે છે, સાંભળવી નહીં: રાહુલ ગાંધી

કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી 4 સપ્ટેમ્બરને સોમવારે અમદાવાદની એક દિવસીય મુલાકાતે આવ્યા હતા. તેઓ સાડા 12 વાગ્યે પ્લેનમાં દિલ્હીથી અમદાવાદ આવી પહોંચ્યા હતા. અહીં તેમનું સ્વાગત પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, પ્રભારી અશોક ગહેલોત સહિતના કોંગી નેતાઓ કર્યું હતું. ત્યારબાદ તેઓ સીધા એનઆઇડી પાછળના રિવરફ્રન્ટ માટે રવાના થયા હતા.

રાહુલ ગાંધીજીના સંવાદના અંશો
– મોદીને મનની વાત કરવી સારી લાગે છે, સાંભળવી નહીં
– નોટબંધી પછી 99% નોટો પાછી આવી ગઇ
– જીડીપી ઓછી થવાનું કારણ નોટીબંધી છે
– ચીનનો મુકાબલો ભારતના નાના અને મધ્યમ ઉદ્યોગ કરી શકે છે
– 60 હજાર કરોડ રૂપિયા એક કંપનીને આપ્યા, રૂપિયા, જમીન આપી 0.1 ટકાએ રૂપિયા આપ્યા
– નાના અને મધ્યમ ઉદ્યોગને આપ્યા હોત તો ગુજરાત આખા દેશને રસ્તા બતાવી શક્યું હોત
– કોંગ્રેસનો મતલબ કોઈને પણ દર્દ થઈ રહ્યું હોય નાનું હોય કે મોટી તેને ગળે લગાડી મદદ કરવી એ જ છે કોંગ્રેસ પાર્ટી

Source: https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-c-69-
congress-vice-president-rahul-gandhi-visit-
ahmedabad-NOR.html