ભાજપ સરકારની દિશાવિહીન કામગીરીથી યુનિવર્સિટીઓ સરકારની વાંજિત્ર બની જશે
- ભાજપ સરકારની દિશાવિહીન કામગીરીથી ઉચ્ચ શિક્ષણ પરિષદની રચનાથી યુનિવર્સિટીઓ સરકારની વાંજિત્ર બની જશે.
- શિક્ષણ ક્ષેત્રે ગુજરાત ૨૧ ક્રમાંકે ધકેલાઈ ગયું છે.
- ભાજપ સરકાર પરિષદની સત્તાઓ દ્વારા શૈક્ષણિક સંસ્થાઓ યુનિવર્સિટીઓમાં વિચારધારા થોપી દેશે. – એન.એસ.યુ.આઈ.
ગુજરાત રાજ્યમાં પ્રાથમિક શાળાઓથી લઇ કોલેજો સુધી રાજકીય આધિપત્ય પ્રસ્થાપિત કરવાનાં પ્રયાસો કરનાર ભાજપ સરકારે ગુજરાત રાજ્ય ઉચ્ચ શિક્ષણ પરિષદની રચના કરવાનો નિર્ણય લઇ ઉચ્ચ શિક્ષણ આપતી સંસ્થાઓને મૃતઃપ્રાય કરવાનો કારસો ઘડ્યો છે. ભાજપ સરકાર આ પરિષદ મારફતે રાજ્યની યુનિવર્સિટીઓમાં રાજકીય વિચારધારાનું આધિપત્ય કેન્દ્રની એનડીએ સરકાર અને માતૃસંસ્થા આરએસએસનું સામ્રાજ્ય સ્થાપવા માંગે છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો