ભાજપના શાસનમાં છેલ્લા ત્રણ વર્ષમાં ૫૭૮ જવાનોએ શહાદત ભોગવી. : 05-06-2017
- ભાજપના શાસનમાં છેલ્લા ત્રણ વર્ષમાં ૫૭૮ જવાનોએ શહાદત ભોગવી.
- માત્ર જમ્મુ-કાશ્મિરમાં આતંકવાદી હુમલાઓમાં દ્વારા ૧૫૦૦૦ નાગરિકો અને ૪૦૦૦ સુરક્ષાકર્મીઓ ઈજાગ્રસ્ત થયા છે.
- ભારતીય લશ્કરને ૫૨૦૦૦ સૈનિકો, ૨૫૦૦૦ વધુ જે.સી.ઓ. અને ૯૦૦૦ વધુ અધિકારીઓની અછત હોવા છતાં પૂર્ણ કરવામાં આવતી નથી
- છેલ્લા ત્રણ વર્ષમાં સમગ્ર દેશમાં ૩૫૦૦ થી વધુ નક્સલી ઘટનાઓ બની છે.
- અમેરીકા દ્વારા પાકિસ્તાનને ૧૨.૨ ટકા (૭૪૩ મિલિયન અમેરીકી ડોલર) ની સહાયતામાં વૃધ્ધિ થઈ છે.
રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશનિતી પર કેન્દ્ર સરકારના ત્રણ વર્ષની નિષ્ફળતાઓ ઉજાગર કરતાં પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રીશ્રી પાર્થિવરાજસિંહ કઠવાડીયાએ જણાવ્યું હતું કે, ભાજપના શાસનમાં છેલ્લા ત્રણ વર્ષમાં ૫૭૮ જવાનોએ શહાદત ભોગવી છે અને ૮૭૭ નાગરિકો શહીદ થયા છે. ભાજપના ખોખલાં ચૂંટણી વાયદાઓ અને પ્રજા સમક્ષ ખોટી રાષ્ટ્રવાદની વાતો કરનારા લોકો અને માત્ર ટેલીવિઝનના સ્ટુડીઓમાં લડાઈ કરતાં લોકો સમગ્ર દેશ સામે ખુલ્લા પડ્યાં છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો