પાણી યાત્રા અરવલ્લી ખાતે
રાજ્યમાં ૮ હજાર ગામોમાં પીવાના પાણીની વ્યાપક તંગી છતાં ભાજપ સરકાર ઉંઘી રહી છે. રોજ નતનવા તાયફા કરે છે પણ, હજારો પરિવારો પાણીની પારાવાર મુશ્કેલી અનુભવે છે ત્યારે ભાજપ સરકાર મીટીંગોમાંથી બહાર આવી વાસ્તવિક રીતે પાણીની ગંભીર કટોકટીવાળા વિસ્તારમાં વહીવટી તંત્રને કામે લગાડે તે જરૂરી છે. રાજ્યના નાગરિકોને પીવાના પાણી અને પશુઓના ઘાસચારા માટે યોગ્ય આયોજન થાય, શ્રમિકોને રોજીરોટી મળે તે દિશામાં જાગૃતતા લાવવા કોંગ્રેસ પક્ષ દ્વારા ૨૬ એપ્રિલ થી ૨૮ એપ્રિલ દરમ્યાન સમગ્ર રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં “પાણી યાત્રા” પરિભ્રમણ કરી હતી