દેશમાં એક માત્ર RSS એનજીઓને સ્થાન: રાહુલ ગાંધી

ભીમા કોરેગાંવ હિંસા પર ધરપકડના દોર પછી હવે તેના સાથે જોડાયેલા મામલામાં પૂણે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા સામાજીક અને માનવાધિકાર કાર્યકર્તા ગૌતમ નવલખા, વરવરા રાવ, સુધા ભારદ્વાજ, અરૂણ ફરેરિયા અને વરનોન ગોંજાલવેસના ઘરે દરોડા અને ધરપકડની લેફ્ટ પાર્ટી અને કોંગ્રેસે નિંદા કરી છે.

બીજીતરફ સીપીએમના મહાસચિવ સીતારામ યેચુરીએ કહ્યું કે, તે આ ધરપકડની આકરા શબ્દોમાં નિંદા કરે છે. તેમણે આરોપ લગાવ્યો કે સતત તે દલિત કાર્યકર્તાઓને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે, જેણે હાલની સરકાર વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું અને મામલો હવે કોર્ટમાં છે. પરંતુ આ પ્રકારની ધરપકડો દેશવાસીઓના લોકતાંત્રિક અધિકારો પર હુમલો છે. આ એક 1975ના કટોકળીકાળથી પણ ખરાબ સ્થિતિમાં છે. જ્યારે માનવાધિકાર કાર્યકર્તાઓને પણ છોડવામાં આવતા નથી.

http://sandesh.com/congress-cpim-condemn-arrest-of-human-rights-activists-across-the-nation/