ત્રિરંગાનું સન્માન, એ જ સૌનું સ્વાભિમાન
કોંગ્રેસ પક્ષ દ્વારા સ્વાતંત્ર્ય પર્વના રોજ નાગરિકોમાં રાષ્ટ્ર ભાવના ખીલે અને ત્રિરંગાની આન-બાન અને શાન માટે એક વિશિષ્ટ કાર્યક્રમ બપોરે ૦૩-૦૦ કલાકે કોચરબ આશ્રમથી ૨૧ ફૂટ લંબાઈ અને ૧૪ ફૂટ પહોળાઈના રાષ્ટ્રધ્વજને ૧૦૦ થી વધુ આગેવાન યુવા કાર્યકરો ધારણ કરીને નેહરૂ બ્રીજથી એલીસબ્રીજ થઈને રાજીવ ગાંધી ભવન સુધી પદયાત્રાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ પ્રસ્થાન કરાવ્યું હતું. જેમાં ૫,૦૦૦ થી વધુ કાર્યકરો દરેકના હાથમાં ત્રિરંગા સાથે જોડાયા હતા. મહિલા કોંગ્રેસ, એન.એસ.યુ.આઈ., યુવક કોંગ્રેસ અને સેવાદળ સહિત શહેરના તમામ કાર્યકરો-આગેવાનો અને પ્રદેશના પદાધિકારીઓ યાત્રામાં જોડાયા હતા.