તા. ૧૬મી મે, ૨૦૧૬ ના રોજ બનાસકાંઠા ખાતેથી ‘લોક દરબાર’ નું આયોજન : 14-05-2016
રાજ્યમાં પીવાના પાણીની અસહ્ય તંગી, સિંચાઈના પાણી અને ટેકાના ભાવો માટે ખેડૂતો પરેશાન, કાયદો વ્યવસ્થાની કથળી ગયેલી પરિસ્થિતિ, મોંઘુ શિક્ષણ, બેરોજગારી, ભ્રષ્ટાચાર, મોંઘવારી, કથળી ગયેલ આરોગ્ય સેવા, મહિલા સુરક્ષા, દલિત, આદિવાસી, લઘુમતિ પર અત્યાચાર સહિતના મુદ્દાઓમાં ભાજપ સરકારની નિષ્ફળતાઓ, બેજવાબદારપણામાં નાગરિકોની સમસ્યા, પરેશાની સાંભળવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા તા. ૧૬મી મે, ૨૦૧૬ ના રોજ સવારે ૯-૩૦ કલાકે, જોરાવર પેલેસ રોડ, મુલ્કી ભવન સામે, પાલનપુર, બનાસકાંઠા ખાતેથી ‘લોક દરબાર’ નું આયોજન કરવામાં આવ્યું છે. આ પાલનપુર, જિ. બનાસકાંઠા ખાતે યોજાનાર ‘લોકદરબાર’ કોંગ્રેસ પક્ષના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહજી વાઘેલાની ઉપસ્થિતિમાં યોજાશે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો