જીપીએસસી અને અન્ય સરકારી ભરતીના ગોટાળા માટે કોને ઝાડું પકડાવાશે?: ભરતસિંહ સોલંકી : 08-09-2015
- રાજ્યમાં કાયદો-વ્યવસ્થા, ખેડૂતોની સમસ્યા, બેરોજગારી, વેપારીઓના કનડગત, ઉદ્યોગો બંધ થવા સહીત વિવિધ મુદ્દાઓ અંગે મુખ્યમંત્રી કોને કોને ઝાડું પકડાવાશે ?
- જીપીએસસી અને અન્ય સરકારી ભરતીના ગોટાળા માટે કોને ઝાડું પકડાવાશે?: ભરતસિંહ સોલંકી
ગુજરાતમાં શિક્ષણની અધોગતિ માટે આનંદીબેન પટેલ પોતે જ જવાબદાર છે. હવે આનંદીબેન ને બાર વર્ષે બાવો બોલે તેમ આનંદીબેનને અહેસાસ થયો છે કે, શિક્ષણનું સ્તર કથળું છે. તેથી પોતે બેબાકળા થયા છે. એટલે જ, વંદનીય ગુરૂજનો-શિક્ષકોને ઝાડું પકડાવવાની વાત મુખ્યમંત્રીશ્રી કરી રહ્યા છે. તે શિક્ષકદિન જેવા રાષ્ટ્રીય પર્વના દિવસે આવા શબ્દપ્રયોગ અયોગ્ય છે. રાજ્યના મહિલા મુખ્યમંત્રી “દાતરડું”, “ઝાડું” જેવા સરમુખત્યારશાહી શબ્દોના ઉચ્ચારણો તેમની નિષ્ફળતા છુપાવવા માટે અને પક્ષની અને રાજ્યની પરિસ્થિતિઓથી નિરાશ થયા હોય તેવું સ્પષ્ટ થાય છે. ત્યારે ખરેખર શિક્ષણનાં કથળતાં સ્તર માટે સ્વયં જવાબદાર વ્યક્તિને “ઝાડું” પકડવું જોઈએ તેવી માંગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ગુજરાત છેલ્લા પંદર વર્ષના શિક્ષણમાં પાછળ ધકેલાઈ ગયું છે, જુનિયર કે.જી.થી ઉચ્ચ શિક્ષણના તમામ વિદ્યાશાખામાં ટ્યુશનપ્રથા, ડોનેશન પ્રથા અને શિક્ષણના વ્યાપારીકરણ માટે તત્કાલીન શિક્ષણમંત્રી તરીકે આનંદીબેન પટેલ પોતે જ જવાબદાર છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો