ગુજરાત વિધાનસભામાં ૧૩ વર્ષ મુખ્યમંત્રી રહેલા નરેન્દ્ર મોદીએ સંસદીય પ્રણાલીઓની સાથે લોકશાહીને ગળે ટૂંપો દીધો : 25-02-2017
- મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓ માટે પ્રગતિશીલ રહેલી ભાજપ સરકાર ગરીબો અને ખેડૂતો માટે સંવેદનશીલ રહી નથી
- ગુજરાત વિધાનસભામાં ૧૩ વર્ષ મુખ્યમંત્રી રહેલા નરેન્દ્ર મોદીએ સંસદીય પ્રણાલીઓની સાથે લોકશાહીને ગળે ટૂંપો દીધો છેઃ ડૉ. હિમાંશુ પટેલ
મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓ માટે પ્રગતિશીલ રહેલી ભાજપ સરકારને સામાન્ય માનવીથી લઈ ખેડૂતો સુધીના લોકોની હાલાકી કે આત્મહત્યા માટે કોઈ જ સંવેદના રહી નહીં હોવાનું જણાવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડા. હિમાંશુ પટેલે આરોપ મુક્યો છે કે ગુજરાતમાં જ્યારથી નરેન્દ્ર મોદીએ શાસનધૂંરા સંભાળી ત્યારથી રાજકીય કિન્નાખોરી સાથે સંસદીય પ્રણાલીઓની જાડે લોકશાહીને ગળે ટૂંપો દેવામાં આવ્યો છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો