ગુજરાતની હાલની નાજૂક પરિસ્થિતિ ને ધ્યાનમાં લઈ સંગઠનની બેઠક મૌકૂફ : 20-07-2016
અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાતના પ્રભારીશ્રી ગુરૂદાસ કામત સાથે તા. ૨૩-૨૪ જૂલાઈ, ૨૦૧૬ ના રોજ નવસર્જન ગુજરાત લક્ષ્ય – ૨૦૧૭ ના ભાગરૂપે રાજ્યના આઠ મહાનગરપાલિકા વિસ્તારના કોંગ્રેસ પક્ષના સંગઠનના પદાધિકારીશ્રીઓની બેઠક યોજવામાં આવી હતી. તે ગુજરાતની હાલની નાજૂક પરિસ્થિતિ ને ધ્યાનમાં લઈ સંગઠનની બેઠક મૌકૂફ રાખવામાં આવી છે. રાજ્યના આઠ મહાનગરના કોંગ્રેસ પક્ષના પદાધિકારીશ્રીઓ સાથે બેઠકનો કાર્યક્રમ રાજ્યની પરિસ્થિતિ શાંત થાય ત્યારે નક્કી થયા અન્વયે જણાવવામાં આવશે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો