ગાંધીજી વિષે અપમાનજનક ટીપ્પણીના વિરોધમાં મૌન ધરણા

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના વિચારો આજે પણ એટલા જ પ્રસ્તૃત છે. વિશ્વની કોઈ પણ સમસ્યાનો ઉકેલ ગાંધી વિચારમાં છે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા પૂ. મહાત્મા ગાંધી વિશે અપમાનજનક ટીપ્પણી સામે રોષ અને આક્રોશ સાથે “સબકો સન્મતિ દે ભગવાન” મહામત્મા ગાંધીની તસ્વીર સાથે અમદાવાદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, અમદાવાદ શહેર પ્રમુખશ્રી ચેતન રાવલ, એ.આઈ.સી.સી.ના મંત્રીશ્રી પ્રકાશ જોષીની ઉપસ્થિતીમાં મૌન-ધરણાં યોજાયા હતા