ખોટા વાયદા બંધ કરો, હવે એ કહો કે ઘર નું ઘર ક્યારે આપશો : 02-02-2017
- મહિલાઓને પોતાના ઘરના ઘરનું સ્વપ્નું ચકનાચૂર થતાં પ્રજા ભાજપને આગામી વિધાનસભા-૨૦૧૭ માં ઘરભેગી કરી દેશે – ડૉ. હિમાંશુ પટેલ
- ચૂંટણી ટાણે ૫૦ લાખ મકાન આપવાની છેતરામણી જાહેરાત કરનાર ભાજપ સરકારે ચાર વર્ષમાં ૧૦ ટકા લક્ષ્યાંક પણ પૂરો નહીં કરતા જેમાં કેન્દ્ર સરકારના ૯૦ટકા રૂપિયા પડી રહ્યા.
ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની “ઘરના ઘર” યોજનાની લોકચાહના ડઘાઈ ગયેલી ભાજપ સરકારે રાતોરાત ૫૦ લાખ પરિવારોને આવાસ બનાવી આપવાની જાહેરાત કરી હતી જેનો સીધો મતલબ થાય કે છેલ્લા ૨ દશકાથી શાસન કરતી ભાજપ સરકારે ગુજરાતમાં ૬ કરોડની કુલ વસ્તીએ ૫૦ લાખ પરિવારો ઘર વિહોણા છે. જે ગત ચૂંટણીમાં સ્વીકાર્યું હતું અને ગુજરાત રાજ્યમાં કોંગ્રેસ પક્ષની ઘરના ઘરની યોજના સામે ૫૦ લાખ મકાનો આપવાની જાહેરાત કરી સત્તા મેળવનાર ભારતીય જનતા પાર્ટીની સરકારે ચાર વર્ષ થવા છતાં માત્ર ૧૦ ટકા જ લક્ષ્યાંક પૂરો નહી કરતા ગરીબ અને સામાન્ય વર્ગના મોટા ભાગના લોકોના સપના ચકનાચૂર થઈ ગયા છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો