ઉના તાલુકાના મોટા સમઢીયાળા ગામે દલિતો પરના અમાનવીય અત્યાચારની ગંભીર ઘટનાને સખત શબ્દોમાં વખોડી અહમદભાઈ પટેલ : 19-07-2016
ઉના તાલુકાના મોટા સમઢીયાળા ગામે દલિતો પરના અમાનવીય અત્યાચારની ગંભીર ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ શ્રીમતી સોનિયા ગાંધીના રાજકીય સચિવ અને સાંસદશ્રી અહમદભાઈ પટેલે જણાવ્યું હતું કે, દલિતો પરના અત્યાચારની ઘટના ગુજરાત પરનું કલંક છે. મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિમાં આવી અમાનવીય ઘટનાઓ બારે શરમજનક છે. ગુજરાતની જનતાને હું શાંતિ અને સુસંવાદિતા જાળવવાની અપીલ કરું છું. હિંસાથી ક્યારેય કોઈપણ સમસ્યાનો ઉકેલ આવતો નથી.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો