આઠ મહાનગરોમાં રસ્તા રીસરફેસીંગ અને નવા રસ્તા બનાવવામાં થતો મોટા પાયે ભ્રષ્ટાચાર ભાજપની ધનસંગ્રહ યોજનાનો ભાગ : 06-07-2017

  • આઠ મહાનગરોમાં રોડ રીસરફેસીંગ અને રસ્તા બનાવવા પાછળ રૂા. ૩૩૬૦ થી રૂા. ૪૬૨૦ કરોડ જેટલી માતબર રકમ પ્રજાના ટેક્ષના નાણાંમાંથી ખર્ચવામાં આવી રહ્યાં છે
  • આઠ મહાનગરોમાં રસ્તા રીસરફેસીંગ અને નવા રસ્તા બનાવવામાં થતો મોટા પાયે ભ્રષ્ટાચાર ભાજપની ધનસંગ્રહ યોજનાનો ભાગઃ ડૉ. મનિષ દોશી
  • આઠ મહાનગરોમાં રોડ, રીસરફેસીંગ અને નવા રસ્તાઓમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર આચરનાર ભાજપ શાસકો સામે વિજીલન્સ તપાસની માંગઃ ડો. મનિષ દોશી

રાજ્યના આઠ મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં ભાજપ શાસકોના ૧૦ વર્ષ કરતા વધુ સમયથી શાસનમાં ૧૭૫ લાખ કરતા વધુ શહેરના નાગરિકો માટે દર વર્ષે રોડ રીસરફેસીંગ અને નવા રોડ માટે કરોડો રૂપિયાનો ખર્ચ છતાં સુવિધાના નામે સંપૂર્ણ મીડું છે. દર વર્ષે મોન્સુન પ્લાનના મોટા મોટા દાવા વચ્ચે ફક્ત એક થી બે ઈંચ વરસાદમાં રસ્તાઓનું ધોવાણ થઈ જાય છે. ત્યારે આઠ મહાનગરોમાં કુલ બજેટની નાણાં ફાળવણી રૂા. ૨૦૦૦૦ કરોડ જેટલી માતબર રકમની નાણાં ફાળવણીમાંથી રોડ રીસરફેસીંગ અને રસ્તા બનાવવા પાછળ રૂા. ૩૩૬૦ થી રૂા. ૪૬૨૦ કરોડ જેટલી માતબર રકમ પ્રજાના ટેક્ષના નાણાંમાંથી ખર્ચવામાં આવી રહ્યાં છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note