અતિવૃષ્ટિના કારણે મુશ્કેલીમાં મુકાયેલા અને ફસાયેલા નાગરિકોને મદદ કરવા માટે અપીલ કરતા ભરતસિંહ સોલંકી : 29-07-2015

રાજ્યમાં વરસાદનું એકવાર ફરીથી આગમન થવાથી ઉત્તર ગુજરાતમાં અને કચ્છ જીલ્લામાં ભારે વરસાદે તારાજી સર્જી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ અને કચ્છ જીલ્લામાં અનેક જગ્યાએ ભારે વરસાદના કારણે ઘણાં પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે અને ઘણા ગામો સંપર્ક વિહોણા બન્યા છે. ત્યારે અતિવૃષ્ટિના કારણે મુશ્કેલીમાં મુકાયેલા અને ફસાયેલા નાગરિકોને મદદ કરવા માટે કોંગ્રેસ પક્ષના કાર્યકરોને અપીલ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, કુદરતી આપદામાં નાગરિકોને મદદ કરવી માનવધર્મ છે. કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો સ્થાનિક કક્ષાએ અતિવૃષ્ટિને કારણે મુશ્કેલીમાં મુકાયેલા પરિવારોને શક્ય મદદ કરે. સાથોસાથ રાજ્ય સરકારને વિનંતી છે કે, જે વિસ્તારમાં ભારે વરસાદના કારણે પાણીમાં ફસાયેલા નાગરિકો-પરીવારોને યોગ્ય સલામત જગ્યાએ ખસેડવામાં આવે અને તાકીદે રાહત સામગ્રી પહોંચાડવામાં આવે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
Press Note