સરદાર વલ્લભભાઈ પટેલે હંમેશા પછાત, વંચિત, છેવાડાના અને જરુરીઆતમંદ પરિવારની ચિંતા : 24-03-2022
સરદાર વલ્લભભાઈ પટેલે હંમેશા પછાત, વંચિત, છેવાડાના અને જરુરીઆતમંદ પરિવારની ચિંતા કરવામા એમનુ જીવન પસાર થયુ છે. અંગ્રેજ શાસનમા તેમના હક્ક અને અધિકાર જ્યારે છિનવાતા હતા ત્યારે તેમના માટે તે લડયા હતા, પરંતુ આજે ગુજરાતમા દુખ અને દુર્ભાગ્યની વાત એ છે કે ગુજરાતની ભાજ્પા સરકારે કરોડો રુપિયાના ખર્ચે સરદાર સાહેબના વિચાર,સ્વભાવ અને મિજાજ વિરુદ્ધ તેમની પ્રતિમાનુ નિર્માણ કર્યુ,. અને એના કરતા કરુણતાની ચરમસીમા તો એ છે કે સરદાર સાહેબની પ્રતિમાના સનિધ્યમા જ રાજય સરકાર દ્વારા ફરજ બજાવતા કર્મચારીઓનુ આર્થિક અને માનસિક શોષણ કરવામા આવી રહ્યુ છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો