શિક્ષણના વ્યાપારીકરણના વિરોધમાં ધરણા પ્રદર્શન

  • સેલ્ફ ફાઈનાન્સ શાળાઓ અને કોલેજોના ઊંચા ફી ધોરણો અને ડોનેશન જેવા દુષણથી ગુજરાતના વિધાર્થીઓ અને વાલીઓ પીડાઈ રહ્યા છે.
  • ભાજપના મુખ્યમંત્રીશ્રી આનંદીબેન પટેલને પોતે જ સ્વીકારવું પડ્યું હતું કે, ગુજરાતમાં શિક્ષણનું સ્તર કથળી ગયું છે.
  • શિક્ષણ ક્ષેત્રે ઘોર ખોદનાર ભાજપ સરકારે શિક્ષણ નીતિ અંગે શ્વેતપત્ર બહાર પડવું જોઈએ
  • છેલ્લા બે દસકામાં શિક્ષણના નામે વેપલો કરનાર ભાજપ સરકારનું ગુજરાત મોડલ શિક્ષણ ક્ષેત્રે ટોપ-ટ્વેન્ટીમાં પણ નજરે પડતું નથી.

ગુજરાત રાજ્યમાં છેલ્લા બે દાયકા દરમિયાન શિક્ષણ ક્ષેત્રની ઘોર ખોદી નાખનાર ભાજપ સરકારની ગુનાહિત બેદરકારીના કારણે શિક્ષણ નીતિમાં ગુજરાત સમગ્ર દેશમાં ચોથા ક્રમેથી ૨૨માં ક્રમે ફેંકાઈ ગયું છે. આગામી દસ દિવસમાં ધો.૧૨ અને ધો. ૧૦ના પરિણામો સાથે ઉચ્ચ શિક્ષણમાં અભ્યાસ માટે પ્રવેશ પ્રક્રિયા શરુ થવાની હોવા છતાં કોઈ નક્કર આયોજન અને સુવિધા નહિ કરનાર ભાજપ સરકારે વિદ્યાનો વેપલો કરનારી શિક્ષણ નીતિ માટે શ્વેતપત્ર બહાર પડી પ્રજા સમક્ષ વાસ્તવિકતા રજુ કરવી જોઈએ તેવી ગુજરાત પ્રદેશ એન.એસ.યુ.આઈ.ના પ્રમુખશ્રી આદિત્યસિંહ ગોહિલે માંગણી કરી છે

શિક્ષણના વ્યાપારીકરણ મોંઘા શિક્ષણ સામેના આક્રમક દેખાવો કરી ગુજરાતની તમામ યુનીવર્સીટીઓ તથા તમામ જીલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ ગજરાત એન.એસ.યુ.આઈ. દ્વારા ભાજપ સરકારની નીતિ વિરુધ અક્રોસ સાથે સુત્રચ્ચાર કર્યા હતા.