લોકશાહી બચાવો-ખેડૂતોના દેવા માફી ની માંગ સાથે રાજ્યવ્યાપી ધરણા-વિરોધ પ્રદર્શન : 05-09-2018
- રાજ્યમાં તમામ જિલ્લાના તમામ તાલુકા મથકે ““લોકશાહી બચાવો-ખેડૂતોના દેવા માફી” ની માંગ સાથે ધરણા-વિરોધ પ્રદર્શન
- કોંગ્રેસ પક્ષ દ્વારા આયોજીત ધરણાં-પ્રદર્શનમાં કોંગ્રેસ પક્ષના પ્રમુખશ્રી અમીત ચાવડા, અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના ગુજરાતના સંગઠન પ્રભારી અને સાંસદશ્રી રાજીવ સાતવજી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશ ધાનાણી જોડાયા
- “લોકશાહી બચાવો-ખેડૂતોના દેવા માફી” ની માંગ સાથે ધરણા-વિરોધ પ્રદર્શન અને આવેદનપત્રના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો-આગેવાનો અને ખેડૂતો જોડાઈને ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિ સામે ઉગ્ર સુત્રોચ્ચાર કર્યા
- રાજ્યમાં અનેક સ્થળોએ લોક તાંત્રિક રીતે દેખાવો-ધરણા પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસ પક્ષના કાર્યકરો-આગેવાનોની પોલીસે ખોટી રીતે અટકાયત કરી
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો