પ્રશિક્ષણ શિબિરમાં જિલ્લા પ્રમુખો સાથે સંવાદ કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષમાં પહેલા પક્ષને નુકસાન કરનારા નેતાઓને સન્માન મળતું હતું પરંતુ હવે માત્ર પક્ષમાં વફાદારીપૂર્વક કામ કરનારાઓને જ સન્માન મળશે. નવા નેતૃત્વ અને નવા કલેવર સાથે જનતાની સમસ્યાઓ અને પ્રાણપ્રશ્નોને લડવા મેદાનમાં આવીશું તો ભાજપના ભ્રષ્ટ નિષ્ફળ શાસનથી ત્રસ્ત જનતા જ આપણને ચૂંટણીઓ જીતાડશે. ઈમાનદારીપૂર્વક કામ કરનાર જિલ્લા અધ્યક્ષો માટે મારા અને ખડગેજી સહિત તમામ નેતાઓના દ્વાર હંમેશા 24 કલાક ખુલ્લા રહેશે.
https://gujarati.news18.com/amp/news/anand/rahul-gandhi-gujarat-visit-says-congress-government-will-be-formed-in-gujarat-in-2027-az-ws-b-2280262.html