પંડિત જવાહરલાલ નહેરુજીની પુણ્યતિથી પર શ્રદ્ધાસુમન અને પુષ્પાંજલિ

અખંડ ભારતના રચયિતા અને સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન સ્વ. શ્રી પંડિત જવાહરલાલ નહેરૂ ની ૫૨ મી પૂણ્યતિથિ નિમિત્તે તા. ૨૭-૦૫-૨૦૧૬ ને શુક્રવારના રોજ ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજ્યના ૩૩ જિલ્લા અને ૮ મહાનગરોમાં ‘શાંતિકૂચ-પુષ્પાંજલી અને પ્રતિજ્ઞા વાંચન’ કાર્યક્રમ યોજાયો હતો. પંડિત જવાહરલાલ નહેરૂની પૂણ્યતિથિ નિમિત્તે પાટણ ખાતે પંડિત જવાહરલાલ નહેરૂને શ્રધ્ધાસુમન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુકશ્રી ભરતસિંહ સોલંકી અને વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા અર્પણ કર્યા હતા. બંને મહાનુભાવોએ પંડિત જવાહરલાલ નહેરૂ દેશના આધુનિક ભારતના નિર્માણમાં યોગદાનને યાદ કરીને પુષ્પાંજલી કરી હતી.