તમામ સમસ્યાનો ઉકેલ શિક્ષણ થકી છે. : શ્રી અહમદભાઈ પટેલ
અમદાવાદના સરખેજ વિસ્તારમાં નવનિર્મિત સમા હાઈસ્કુલના ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત મોટી સંખ્યામાં વિદ્યાર્થી-વાલીઓને સંબોધન કરતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીના રાજકીય સચિવ અને સાંસદશ્રી અહમદભાઈએ જણાવ્યું હતું કે, તમામ સમસ્યાનો ઉકેલ શિક્ષણ થકી છે. શિક્ષણ થકી પ્રગતિની દિશામાં આગળ વધી શકાય છે. સામાન્ય અને સંઘર્ષ કરતાં ઘણાં બધા મહાનુભાવે શિક્ષણ દ્વારા રાજ્ય અને રાષ્ટ્રમાં મોટા પદ પર પહોંચ્યા છે. જે રીતે રાજ્યમાં શિક્ષણ મેળવવા માટે સામાન્ય અને મધ્યમવર્ગ હેરાનગતિનો સામનો કરી રહ્યા છે. હજારોની સંખ્યમાં શિક્ષકોની જગ્યા ખાલી છે. શિક્ષક છે તો વર્ગખંડ નથી, વર્ગખંડ છે તો શિક્ષક નથી. સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ બંધ થઈ રહી છે. રાજ્ય સરકાર સૌના માટે શિક્ષણ ઉપલબ્ધ કરાવી શકતી નથી. ત્યારે સામાજિક સંસ્થાઓ અને જ્ઞાતિના સમુહો આગળ આવીને શૈક્ષણિક સંકુલો સ્થાપી રહ્યા છે તે આવકારદાયક બાબત છે. સાથોસાથ સમયની માંગ છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો