ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળ દ્વારા સ્મરણાંજલી પદયાત્રાની સમાપન રેલીનું આયોજન
તા.૧૨મી માર્ચ,૧૯૩૦ ના રોજ વહેલી સવારે પુ. મહાત્મા ગાંધીજીની આગેવાની હેઠળ ઐતિહાસિક દાંડીયાત્રાની શરૂઆત સાબરમતી આશ્રમથી શરૂ થઈ નવસારી જીલ્લાના દાંડી ગામ ખાતે તા.૬ એપ્રિલના રોજ સમાપન થયેલ.
વિશ્વની અહિંસક ક્રાંતિમાં જેની ગણના થાય છે તે ઐતિહાસિક દાંડીયાત્રા દ્વારા મહાત્મા ગાંધીએ દુનિયાને સત્ય અને અહિંસાનો માર્ગ બતાવ્યો છે. ઐતિહાસિક દાંડીયાત્રાની ૮૬મી સ્મરણાંજલી દાંડીયાત્રા નિમિતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળ દ્વારા સ્મરણાંજલી પદયાત્રાની સમાપન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્મરણાંજલી પદયાત્રા સમાપન મહારેલી નવસારી-મટવાડ ખાતે ગાંધીજીની પ્રતિમાને સુત્તરની આંટી પહેરાવી તેમજ શહીદ સ્મારક ખાતે પુષ્પાંજલી કરી સ્મરણાંજલી અર્પી પદયાત્રા શરૂ કરી ઐતિહાસિક દાંડી ખાતે પૂર્ણ કરવામાં આવી હતી