ગુજરાતની જીવાદોરી સમાન નર્મદાના મુદ્દે કોંગ્રેસ પક્ષ રાજનિતી કરતું નથી : 15-09-2017
- નર્મદા યોજનાની ૪૩૦૦૦ કી.મી.ની કેનાલનું કામ ન કર્યું હોવાથી ગુજરાતને ન કલ્પી શકાય તેવું નુકશાન.
- નર્મદાના દરવાજાના નામે ભાજપનું ચુંટણી લક્ષી નાટક.
- દરવાજા બંધ કાર્ય વગર ગુજરાતના હિસ્સાનું ૯ એકર મિલયન ફીટ પાણી ઉપલબ્ધ છે પરંતુ કેનાલના કામો ન કર્યા હોવાથી પાણી દરિયામાં જાય છે.
- વીજળીના ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો નહિવત છે.
- ૧૯૬૧માં શીલાન્યાસ બાદ નર્મદા ડેમનું કામ ૧૯૮૭ સુધી ખોરંભે પડ્યું હતું કારણ કે પર્યાવરણની મંજુરી નહોતી મળતી.
- ૧૯૮૭માં રાજીવ ગાંધીજીએ પર્યાવરણની મંજુરી આપી અને ૪૧૬૫.૯૧ હેકટર જંગલની જમીન છુટી કરી તેથી યોજના શક્ય બની.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો