ગાંધીનગર ખાતે “જન આક્રોશ રેલી” : 23-08-2016

ખેડૂતો પારવાર દુઃખી, અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર, બેફામ મોંઘવારી, લાખો શિક્ષિત યુવાનો બેરોજગાર, મોંઘુ શિક્ષણ, ફીક્સ પગારના નામે આર્થિક શોષણ, પાટીદારો પર દમન, દલિત આદિવાસીઓ પર અમાનુષી અત્યાચાર, ઓ.બી.સી. –લઘુમતિ સમાજ, કથળી ગયેલ કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે “જન જનના દિલમાં છે રોષ” ભાજપની પ્રજા વિરોધી સરકાર સામે “જન આક્રોશ” ને વાચા આપવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા તા. ૨૩/૮/૨૦૧૬ ને મંગળવારના રોજ સવારે ૧૦-૦૦ કલાકે, સત્યાગ્રહ છાવણી, સેક્ટર-૬, ગાંધીનગર ખાતે “જન આક્રોશ રેલી”  નું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક સંસ્થામાં ચૂંટાયેલા પ્રતિનિધીઓ સહિત કોંગ્રેસ પક્ષના કાર્યકરો-આગેવાનો અને જુદા-જુદા સમાજના ૨૫,૦૦૦ થી વધુ ભાઈ-બહેનો જોડાઈને ભાજપ સરકારની પ્રજા વિરોધી નિતી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note