ખાદ્યતેલ મીલ માલિકો અને ભાજપ સરકારની સાંઠગાઠને કારણે ગુજરાતના ૬ કરોડ નાગરિકોને મોંઘા ખાદ્યતેલ ખાવાની ફરજ : 25-06-2016

અચ્છે દિન” ના વાયદા “બહુત હુઈ મહંગાઈ કી માર…. અબકી બાર……. ” જેવા રૂપાળા સૂત્રોથી સત્તા મેળવનાર ભાજપ સરકારે 125 કરોડ દેશવાસીઓ અને ગુજરાતના 6 કરોડ નાગરિકોને મોંઘવારીના એક પછી એક માર આપીને ગરીબ-સામાન્ય-મધ્યમર્ગના પરિવાર માટે જીવન દુષ્કર બનાવી દીધું છે ત્યારે ભાજપ સરકારની બેજવાબદાર નિતી, સંગ્રાહખોરી-જમાખોરીને પ્રોત્સાહન આપવાની નિતીની સામે કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યના ૩૩ જિલ્લા અને ૮ મહાનગરપાલિકાઓમાં ખાદ્યતેલમાં બેફામ ભાવ વધારો અને જીવન જરૂરીયાત ચીજ વસ્તુઓના આસમાની મોંઘવારી વિરૂધ્ધમાં દેખાવો-ધરણાં-સૂત્રોચ્ચાર કરીને રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો