કોંગ્રેસના નવ નિયુક્ત ગુજરાત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ગાંધી આશ્રમથી રાજીવ ગાંધી ભવન સુધી યોજી પદયાત્રા

નવનિયુક્ત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે જાહેર થયેલા શક્તિસિંહ ગોહિલ આજે પદયાત્રા યોજી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો, ટેકેદારો ઉપસ્થિત રહ્યા હતા. શક્તિસિંહનું શક્તિ પ્રદર્શન કર્યુ હતું. કોંગ્રેસના તમામ નેતાઓને એકમંચ પર રાખી કોઈ જૂથબંધી ન હોવાનો સંકેત આપવાનો પ્રયાસ ગુજરાત કોંગ્રેસ દ્વારા કરાયો હતો.

નવનિયુક્ત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે જાહેર થયેલા શક્તિસિંહ ગોહિલ આજે પદયાત્રા યોજી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો, ટેકેદારો ઉપસ્થિત રહ્યા હતા. શક્તિસિંહનું શક્તિ પ્રદર્શન કર્યુ હતું. કોંગ્રેસના તમામ નેતાઓને એકમંચ પર રાખી કોઈ જૂથબંધી ન હોવાનો સંકેત આપવાનો પ્રયાસ ગુજરાત કોંગ્રેસ દ્વારા કરાયો હતો.

નવનિયુક્ત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે જાહેર થયેલા શક્તિસિંહ ગોહિલ આજે પદયાત્રા યોજી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો, ટેકેદારો ઉપસ્થિત રહ્યા હતા. શક્તિસિંહનું શક્તિ પ્રદર્શન કર્યુ હતું. કોંગ્રેસના તમામ નેતાઓને એકમંચ પર રાખી કોઈ જૂથબંધી ન હોવાનો સંકેત આપવાનો પ્રયાસ ગુજરાત કોંગ્રેસ દ્વારા કરાયો હતો.

‘મહાત્મા ગાંધીના ચરણોમા શીશ જુકાવી આવતીકાલે પદગ્રહણ કરીશ. આવતીકાલે રાહુલ ગાંધીના જન્મદિવસના રોજ પદગ્રહણ કરવામાં આવશે. કાર્યભાર જગદીશ ઠાકોર પાસેથી લઇ ને ચાર્જ સાંભળીને જગન્નાથ મંદિર જઈશું. સત્યનો સાથ અને સમર્થન લોકોએ બાપુને આપ્યું હતું એટલે જ હું મારી તાકાત નહિ પણ મહાત્મા ગાંધીના આશિર્વાદ અને તમામ ગુજરાતીના આશીર્વાદ સાથે આગળ ચાલીશ. સત્તા પાડવા માટે કોઈ સંઘર્ષ નથી કરવો પણ પ્રજાના આશીર્વાદ લઇશું.’ -શક્તિસિંહ ગોહિલ, નેતા, કોંગ્રેસ

સિનિયર નેતાઓ ઉપસ્થિત: અમદાવાદમાં ગાંધી આશ્રમ ખાતે હજારોની સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને સમર્થકો પહોંચ્યા હતા, ત્યાં કોંગ્રેસના સિનિયર નેતાઓ જેમાં અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડિયા, પરેશ ધાનાણી સહિતના ધારાસભ્યોને સિનિયર નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. શક્તિસિંહ ગોહિલે ગાંધી આશ્રમ ખાતે રામધૂન બોલાવી હતી અને જે બાદ મહાત્મા ગાંધીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવીને પોતાની પદયાત્રા શરૂ કરી હતી. જે પદયાત્રા માં અલગ અલગ જગ્યા ઉપર શક્તિસિંહ ગોહિલનું કોંગ્રેસના સમર્થકો અને કાર્યકરો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને અંતે રાજીવ ગાંધી ભવન ખાતે પદયાત્રા પૂર્ણ કરી હતી.

https://www.etvbharat.com/gujarati/gujarat/state/ahmedabad/shaktisinh-gohil-new-designated-state-president-of-the-congress-held-a-padayatra-from-gandhi-ashram-to-rajiv-gandhi-bhavan/gj20230618222144326326746