કેન્દ્રીય બજેટ ઉપર પ્રતિક્રિયા આપતા શ્રી જગદીશ ઠાકોર અને શ્રી સુખરામ રાઠવા : 01-02-2022
કેન્દ્રીય બજેટ ઉપર પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોર અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી સુખરામ રાઠવાએ જણાવ્યું હતું કે, ગરીબનું ખિસ્સુ ખાલી, નોકરીયાતનું ખિસ્સુ ખાલી, મધ્યમવર્ગનું ખિસ્સું ખાલી, ખેડૂતોનું ખિસ્સું ખાલી, યુવાનોની આશા તૂટી સહિત આર્થિક ડામાડોળ પરિસ્થિતિ કેન્દ્ર સરકારના બજેટની ઉપલબ્ધી છે. મોંઘવારીમાં સતત વધારો, જનતા બેહાલ, સરકાર માલામાલ શું આ છે અચ્છે દિન ? અગાઉ વર્ષ ૨૦૧૪-૧૫, ૨૦૧૫-૧૬, ૨૦૧૬-૧૭, ૨૦૧૭-૨૦૧૮ ચાર વર્ષમાં ‘રૂબર્ન’ની વાતો કરનાર સંપૂર્ણ ઉલ્ટુ ૨૦૨૨નું બજેટ જેમાં શહેરોનું ભારત વધારી ગામડાઓ નાબૂદ કરવાની યોજના જાહેર કરી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો