મહામહીમ રાજ્યપાલશ્રીને આવેદનપત્ર સુપ્રત કરતા કોંગ્રેસ પક્ષના આગેવાનો

આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશ ધાનાણી, અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના નેતા કુ. શૈલજાજી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતાશ્રી શૈલેષભાઈ પરમાર, ધારાસભ્યશ્રીઓ અને કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનો આજ રોજ અને દલિત સમાજ પર થઈ રહેલા અત્યાચારમાં સંડોવાયેલા આરોપીઓ સામે સખત પગલાં ભરવાની માંગ સાથે દલિત સમાજને સુરક્ષા મળે તે માટે મહામહિમ રાજ્યપાલશ્રીને સાંજે ૫-૦૦ કલાકે રૂબરૂ મુલાકાત લઈ વિવિધ માંગો સાથેનું આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.