લોકરક્ષક ભરતી પરીક્ષા રદ થવાના વિરોધમાં આવેદનપત્ર

રાજ્યમાં ૯૭૧૩ લોકરક્ષક ફિક્સ પગારની ભરતી પ્રક્રિયા માટે યોજાયેલ પરીક્ષામાં ભાજપ સરકારના ચૂંટાયેલા પ્રતિનિધિ-મળતિયા-અગ્રણીઓએ પેપર ફોડીને ગુજરાત નવ લાખ યુવાનો અને તેમના નવ લાખ પરીવારીના ભવિષ્ય સાથે મોટી છેતરપીંડી, વિશ્વાશ્ઘાત અને ભવિષ્ય સાથે ચેડા કાર્ય છે. ગુજરાતના લોક રક્ષક ભરતી પ્રક્રિયામાં આવેલા યુવાનોને ન્યાય મળે, આર્થિક વળતર મળે અને સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા કૌભાંડીઓને સજા મળે અને વારંવાર સરકારી નોકરીઓની ભરતી પ્રક્રિયામાં થતાં કૌભાંડ અંગે જવાબદારી સ્વીકારી રાજ્યના મુખ્યમંત્રી રાજીનામું આપે તેવી માંગ સાથે રાજ્યના ૩૩ જીલ્લા અને ૮ મહાનગરોમાં કોંગ્રેસ પક્ષ દ્વારા ધરણા-પ્રદર્શન