‘કોંગ્રેસ આપના દ્વારે” – વડોદરા

શહેરમાં કોંગ્રેસ સંગઠનને મજબૂત બનાવવા સાથે કાર્યકરો, સમાજના શ્રેષ્ઠીઓને મળી તેમની સમસ્યા, પ્રશ્નો જાણવા માટે કોંગ્રેસ દ્વારા શરૂ કરવામાં આવેલ કોંગ્રેસ આપના દ્વારે કાર્યક્રમ અંતર્ગત આજરોજ વડોદરા શહેર ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડા જણાવ્યું હતું કે, ખેડૂતોની સમસ્યા,પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ લાવવાને બદલે ફાઈવસ્ટાર કલ્ચરમાં ચિંતન શિબિર કરવામાં આવે છે. ભાજપ સરકારે શિક્ષણનું વ્યાપારીકરણ સાથે માફિયાકરણ કર્યું છે. સામાન્ય અને મધ્યમ વર્ગના વિદ્ય્રાથી-વાલીઓ મોંઘા શિક્ષણથી પરેશાની અને હાડમારી ભોગવી રહ્યાં છે.