ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજીત વિસ્તૃત કારોબારી બેઠક

સરદાર સ્મારક રાષ્ટ્રીય મ્યુઝીયમના ઐતિહાસિક સભાખંડમાં કોંગ્રેસ પક્ષની વિસ્તૃત કારોબારી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં વિશેષ માર્ગદર્શન માટે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના ખજાનચી અને સાંસદશ્રી અહેમદભાઈ પટેલ, એ.આઈ.સી.સી.ના પ્રભારી તથા ગુજરાતના ઇન્ચાર્જશ્રી રાજીવ સાતવજી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશભાઈ ધાનાણી, વરિષ્ઠ નેતાશ્રી મધુસૂદનભાઈ મિસ્ત્રી, પૂર્વ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, શ્રી સિદ્ધાર્થભાઈ પટેલ, એ.આઈ.સી.સી.ના મંત્રી અને સહપ્રભારીશ્રી જીતેન્દ્ર બઘેલજી, બિશ્વરંજન મોહંતીજી, સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી લાલજીભાઈ દેસાઈ સહિતના મહાનુભાવોએ સંબોધન કર્યું હતું. કોંગ્રેસ પક્ષની વિસ્તૃત કારોબારીમાં ખેડૂતો માટે, કાયદો-વ્યવસ્થા અને મહિલા સુરક્ષા, બેરોજગારી, દલિત-આદિવાસી પર અત્યાચાર, અને ભાજપ સરકારનો ભ્રષ્ટાચાર વગેરે વિષય પર ઠરાવ રજૂ કરાયા હતા. વિસ્તૃત કારોબારીમાં સભા સંચાલન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રીશ્રી ચેતન રાવલે કર્યું હતું.