મહેસુલ, ગૃહ અને અન્ય વિભાગોમાં થઇ રહેલ ભ્રષ્ટાચારના વિરોધમાં ધરણા – પ્રદર્શન
ખુદ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજય રુપાણીએ સ્વીકાર્યું છે અને જાહેરમાં બોલ્યા છે કે મહેસુલ વિભાગ, ગૃહ વિભાગ અને અન્ય વિભાગોમાં સૌથી વધારે ભ્રષ્ટાચાર છે, પચ્ચીસ વર્ષ પહેલા આવું નહોતું. ત્યારે મુખ્યમંત્રીશ્રીએ નૈતિકતાના ધોરણે રાજીનામું આપી દેવું જોઈએ તેવી માંગ સાથે આજ રોજ ગુજરાત કોંગ્રેસ દ્વારા સમગ્ર રાજ્યમાં કલેક્ટર કચેરી પર ધરણા-પ્રદર્શન અને સુત્રોચ્ચારનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ખુબ મોટી સંખ્યામાં કાર્યક્રર મિત્રો જોડાયા




















































































